06/07/2020
મગફળીના થડનો સુકારો
આ રોગ સ્કેલરોસીયમ રોલ્ફન્સી નામની ફૂગથી થાય છે શરૂઆતમાં પ્રકાંડ અથવા ડાળીઓ મહદઅંશે અથવા સંપૂર્ણ સુકાવા લાગે છે. પાન ભૂખરા રંગના બનીને સુકાય જાય છે પરંતુ છોડ સાથે ચોટેલા રહે છે. જે જમીન ઉપર તથા છોડની આજુ બાજુ ફેલાવા માંડે છે. રોગગ્રસ્ત વિસ્તારમાં રાઈના દાણા જેવા બીજાણું જોવા મળે છે. રોગગ્રસ્ત ડોડવા પણ સામાન્ય રીતે સડી જાય છે. જ્યારે આવા છોડને ઉપાડવામાં આવે તો ફક્ત છોડની ડાળીઓ જ હાથમાં આવે છે. જ્યારે સડેલા ડોડવા જમીનમાં રહી જાય છે. જેની ઉત્પાદન ઉપર માંઠી અસર પડે છે. આ રોગના રાઈના દાણા જેવા સ્કેલરોસિયા જમીનમાં ૪ વર્ષ કરતા પણ વધારે જીવે છે. આ રોગની વૃદ્ધિમાં દિવસનું ૨૯ થી ૩૨° ઉષ્ણતાપમાન અને રાત્રીમાં ૨૫° ઉષણતાપમાન ભાગ ભજવે છે.
નિયંત્રણ
(૧) ૮ થી ૧૦ ઇંચ ઊડી ખેડ કરવી તથા પાકના જડિયા મૂળીયાંનો નાશ કરવો અને ખેતર ચોખું રાખવું.
(૨) મગફળીના પાકની કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવી.
(૩) મગફળીની રોગપ્રતિકારક જાતોનું વાવતર કરવું.
(૪) ટ્રાયકોડારમા હરજીયાનમ અથવા ટ્રાયકોડારમા વિરીડી ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજને પટ આપવો વાવતા સમયે.
(૫) એરંડાનો ખોળ અથવા લીમડાનો ખોળ અથવા રાઈનો ખોળ પ00 કિલો પ્રતિ હેકટર પ્રમાણે અને ટ્રાયકોડરમા હરજીયાનમ અથવા ટ્રાયકોડરમા વીરીડી ભલામણ મુજબ ચાસમાં આપવું
(૬) કેપ્ટાન ૩ ગ્રામ પ્રતિ કિલો દાણાને પટ આપવાથી અસરકારક રીતે થડનો સુકારો ઓછો થાય છે.